સહકારી બેન્કોએ નાક દબાવતા સરકાર ડિફોલ્ટના કેસમાં પણ છ ટકા વ્યાજ સબસિડી ચૂકવવા તૈયાર

સહકારી બેન્કોએ નાક દબાવતા સરકાર ડિફોલ્ટના કેસમાં પણ છ ટકા વ્યાજ સબસિડી ચૂકવવા તૈયાર

સરકારે નાના વ્યવસાયિકોને એક લાખની લોન આપવા માટે તૈયાર કરેલી આર્ત્મિનભર યોજના અંતર્ગત લોન લેનાર હપતા ન ભરે તો પણ વ્યાજ સબસિડી આપવાના સરકારી બેન્કોના આગ્રહને સરકાર વશ થઈ ગઈ છે અને આનો ઠરાવ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે

કોરોનાની મહામારી અને તેને પગલે બે મહિનાના લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધી મંદ પડી જતા નાના વ્યવસાયિકોની મદદ માટે સરકારે માત્ર બે ટકાના વ્યાજે ૧ લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. આ લોન માટેના ફોર્મનું વિતરણ ગુરુવારથી શરૂ થયું ત્યારે રાજ્યભરમાં ઘણી બેન્કોની શાખાઓમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ લાંબી કતારો જોવા મળી હતી અને ઘણી જગ્યાએ બેન્કોએ ફોર્મનું પ્રિન્ટિંગ હજુ થયું ન હોવાનું કારણ આગળ ધરતા લોન ઇચ્છુકોને ધરમધક્કો પડયો હતો.

જોકે આવી સ્થિતિ કેમ સર્જાઇ તે અંગે તપાસ કરતાં સંદેશને આધારભૂત સૂત્રો તરફથી મળેલી માહિતી ખૂબ ચોંકાવનારી છે. હકીકતમાં અર્થતંત્રના પૈડાં થંભી જતાં રાજ્યભરની સહકારી બેન્કો પાસે ધિરાણ માટે આશરે રૂ. ૭,૦૦૦ કરોડનું ભંડોળ ઉપલબ્ધ હતું અને તેથી સહકારી બેન્કોએ સામેથી જ આ પ્રકારની કોઇ સ્કીમ જાહેર કરવા સરકારને સુચન કર્યું હતું. આ સુચન સ્વીકારી સરકારે પણ ૮ ટકાના વ્યાજે લોન આપી તેમાં પોતે ૬ ટકા વ્યાજની સબસિડી આપશે એવી જાહેરાત કરી હતી.

જોકે લોન લેનાર હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો સરકાર આ સબસિડી નહીં આપે એવી શરત સાથે સરકારે સંપૂર્ણપણે ભરપાઇ થાય એવી રીતે લોન આપવાની જવાબદારી બેન્કોને સોંપી હતી. આમ છતાં આ બેન્કોને આ શરત સ્વીકાર્ય ન હતી અને તેના કારણે જ બેન્કોએ ફોર્મના વિતરણમાં ગલ્લાતલ્લાં કરવાનો ઉપાય અજમાવ્યો હતો.

આથી રાજ્યની મોટા ભાગની સહકારી બેન્કો પર સત્તાધારી પક્ષ ભાજપનો કબ્જો હોવા છતાં ફોર્મ વિતરણમાં ધાંધિયા થયા હતા. હવે મળતી માહિતી મુજબ સરકારે સહકારી બેન્કોના ઘુંટણિયે પડી લોન લેનાર ડિફોલ્ટ થાય તો પણ સરકારે ૬ ટકાની સબસિડી ચૂકવવી પડશે એવી શરત સ્વીકારી લીધી છે અને આ અંગેની જાહેરાત એકાદ બે દિવસમાં કરવામાં આવશે.

તાજેતરમાં પરપ્રાંતી શ્રમિકોને તેમના રાજ્યમાં પરત જવું હોય તો તેઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે એવી વ્યવસ્થા સરકારે કરી હતી. આવા સંજોગોમાં આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન લેવા માટેના ફોર્મની હાર્ડ કોપી લેવા માટે જરૂરિયાતમંદોને લાઇનમાં ઊભું રહેવું પડે એ આશ્ચર્યજનક કહેવાય.

જોકે હકીકતમાં સહકારી બેન્કો પોતાની શરતે લોન આપવા માંગતી હોવાથી લોન વિતરણના પ્રથમ દિવસે આવું થયું હતું એમ જાણકારો કહે છે.

સહકારી બેન્કોના અનુરોધ પર સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત એક લાખની લોનની જાહેરાત કરી તે પછી સહકારી બેન્કોના આગેવાનોએ એવી રજુઆત કરી હતી કે લોન લેનાર ડિફોલ્ટ કરે એવા સંજોગોમાં જો સરકાર વ્યાજ સબસિડી ન આપે તો તેમના માટે તો ગોળો અને ગોફણ બન્ને જાય એવી સ્થિતિ સર્જાય. સરકારે ફોર્મ વિતરણના દિવસની જાહેરાત કરી દીધી છતાં સહકારી બેન્કો ન માનતા સરકારને તેમની આ શરત સ્વીકારવાની નોબત આવી હતી.

યોજનાનો મૂળ હેતુ સર થવા સામે આશંકા

સહકારી બેન્કોએ તો કેન્દ્ર સરકારની એમએસએમઇ માટે લોનની યોજનાની જેમ સરકારે જ લોન માટે ગેરંટર બનવું જોઇએ એવો આગ્રહ રાખ્યો હતો. પરંતુ સરકાર આ શરત સ્વીકારવાના પક્ષમાં નથી, કારણ કે સહકારી બેન્કો પાસે ઉપલબ્ધ નાણાં લોન માટે ઉપયોગમાં આવી શકે તે માટે જ આ યોજના જાહેર કરવામાં આવી છે.

જોકે જાણકારો કહે છે કે સરકારે આ શરત સ્વીકારી નથી તેથી આ યોજના જાહેર કરવા પાછળનો મૂળ હેતુ સિદ્ધ નહીં થાય, કારણ કે કોને લોન આપવી તે નક્કી કરવાની સત્તા બેન્કોને જ આપવામાં આવી છે. બેન્કો તેમના નાણાં ડુબે નહીં તે માટે તારણ અને બે જામીન સાથે જ લોન આપવાની છે.

હવે સરકારે નાના વ્યવસાયિકો જેવા રિક્ષાધારકો, નાના ધંધાદારીઓ વગેરેને લોન આપવા માંગે છે તેમાંથી મોટા ભાગના આ પ્રકારે તારણમાં કંઇ મુકી શકે એવી સ્થિતિમાં નથી. આથી જેમની પાસે તારણમાં મુકવા માટે મિલ્કત છે એવો લોકો જ આવી લોન મેળવી શકશે અને મોટા ભાગના કિસ્સામાં આ લોકો એટલા બધા જરૂરિયાતમંદ નહીં હોય.

સરકારની જાહેરાત છતાં બધાને કેમ પૂરા એક લાખની લોન નહીં મળે?

સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત ૧૦ લાખ લોકોને રૂ. ૧ લાખની લોન આપવાની જાહેરાત કરી છે. જોકે રાજ્યની સહકારી બેન્કો અને સહકારી મંડળીઓની પાસે કુલ રૂ. ૮૫,૦૦૦ કરોડનું ભંડોળ છે. આમાંથી ૭૫ ટકાના નિયમ મુજબ તેઓ કુલ રૂ. ૬૪,૦૦૦ કરોડની મર્યાદામાં જ ધિરાણ આપી શકે. આની સામે આ સંસ્થાઓએ હાલમાં કુલ રૂ. ૫૭,૦૦૦ કરોડનું ધિરાણ તો આપી દીધેલ છે.

આથી તેમની પાસે ધિરાણ આપવા માટે આશરે રૂ. ૭,૦૦૦ કરોડનું ભંડોળ જ ઉપલબ્ધ છે. જો ૧૦ લાખ લોકોને એક લાખની લોન આપવી હોય તો કુલ રૂ. ૧૦,૦૦૦ કરોડનું ભંડોળ જોઇએ, જેમાં રૂ. ૩,૦૦૦ કરોડની ખોટ છે. આથી કેટલાક લોકોને એક લાખને બદલે, ૨૫,૦૦૦ થી ૭૫,૦૦૦ સુધીની લોનથી સંતોષ માનવો પડશે.

બે દિવસમાં ૩૭,૦૦૦થી વધુ ફોર્મનું વિતરણ

એક લાખની લોન મેળવવાના ફોર્મનું વિતરણ આજે પણ ચાલું રહ્યું હતું. જોકે આ લોન મેળવવી અઘરી છે એવી જાણ થતાં ધસારો ઘટયો હતો. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ જીએસસી બેન્ક અને અમદાવાદ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેન્ક દ્વારા બે દિવસમાં કુલ ૪૯ હજાર જેટલા ફોર્મનું વિતરણ કરવામા આવ્યુ છે. જેમાં જીએસસી બેન્ક દ્વારા ૧૬,૦૦૦ અને એડીસી બેન્ક દ્વારા ૩૩ હજાર જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ છે.

જયારે બીજી તરફ કાલુપુર બેન્ક દ્વારા આજે બોર્ડ મિટીંગ બોલાવીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને ૧લી જૂનથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આત્મ નિર્ભર યોજના વેપારીઓ, નાના વ્યવસાયીઓની લાઇનોના દૃર્શ્યો વચ્ચે સહકારી બેન્કોમાંથી અત્યાર સુધીમાં કુલ ૩૭ હજારથી વધારે ફોર્મનું વિતરણ થયાનું સચિવ મનિષ ભારદ્રાજે જણાવ્યું હતું.

બેન્ક કહે ફોર્મ ઓનલાઈન છે પણ સરકારનો નનૈયો

સહકારી ક્ષેત્રના જ્યોતિન્દ્ર મહેતાએ ટ્વીટ કરીને એવું કહ્યું છે કે ફોર્મ ઓનલાઈન છે. જ્યારે આઈએએસ મનિષ ભારદ્વાજને પૂછતા તેમણે કહ્યું કે ફોર્મ ઓનલાઈન નહીં મળે. બેન્ક પર રૂબરૂ જ જવું પડશે.

સોઉર્સ: સંદેશ


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment