અદાણી ગ્રીન એનર્જીને વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેકટ મળ્યો, આના માટે કંપની રૂ. 45,000 કરોડનું રોકાણ કરશે

અદાણી ગ્રીન એનર્જીને વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેકટ મળ્યો, આના માટે કંપની રૂ. 45,000 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ. અદાણી ગ્રુપની એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (અદાણી ગ્રીન)ને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI)નો મેન્યુફેક્ચરિંગ લિન્ક્ડ સોલાર પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડના ભાગ તરીકે કંપની 8 ગીગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટસ વિકસાવવાની સાથે વધારાના 2 ગીગાવોટના સોલાર સેલ અને મોડ્યુલનું ઉત્પાદન પણ કરશે. કંપનીએ દાવો કર્યો છે કે, વિશ્વમાં આ પ્રકારનો આ સૌથી મોટો એવોર્ડ છે જેનાથી એક જ યોજનામાં રૂ. 45,000 કરોડ (6 અબજ ડોલર)નુ રોકાણ થશે તથા 4 લાખ લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે. આ ઉપરાંત પ્રોજેકટથી 90 કરોડ ટન કાર્બન પેદા થતો અટકશે. 

પાંચ વર્ષમાં રૂ. 1.12 લાખ કરોડનું રોકાણ કરશે
કંપનીએ જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ. 1,12,000 કરોડ (15 અબજ ડોલર)નુ મૂડીરોકાણ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટથી રિન્યુએબલ એનર્જીમાં અદાણી ગ્રીનની સંચાલન, નિર્માણ અથવા તો કોન્ટ્રકટ હેઠળની ક્ષમતા વધીને 15 ગીગાવોટ થઇ છે. કંપની વર્ષ 2025 સુધીમાં 25 ગીગવોટની કેપેસિટી મેળવવા માગે છે અને જો આમ થશે તો કંપની આવતા પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બની જશે.

પર્યાવરણ અને આર્થીક વિકાસ અલગ ગણી શકાય નહી: ગૌતમ અદાણી
આ એવોર્ડ હાંસલ કરવા અંગે પ્રતિભાવ આપતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI) આ સિમાચિન્હરૂપ એવોર્ડ માટે પસંદ કરીને અમારૂ સન્માન કર્યુ છે. વર્તમાન વિશ્વમાં વાતાવરણને અનુરૂપ ફેરફારો કરવાની બાબતને આર્થિક વિકાસની અગ્રતાઓથી અલગ ગણી શકાય નહી. રોજગાર નિર્માણ અને કાર્બન મુક્તિ એ બંને સમાંતર ચાલતા ઉદ્દેશ છે. ભારતે વર્ષ 2015માં પેરિસ ખાતે યોજાયેલ યુનાઈટેડ નેશન્સની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં જલવાયુ પરિવર્તન ક્ષેત્રે બદલાવની આગેવાની લેવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને આજે તે COP21ની  કટિબધ્ધતાનુ પાલન કરનાર વિશ્વના 8 રાષ્ટ્રોની યાદીમાં અગ્ર સ્થાને છે.

કંપની 2025 સુધીમાં 8 ગીગવોટનો પ્રોજેક્ટ પૂર્ણ થશે
એવોર્ડેડ 8 ગીગાવોટનો સોલાર ડેવલપમેન્ટ પ્રોજેકટ આગામી 5 વર્ષમાં પૂરો કરી દેવામાં આવશે. પહેલા 2 ગીગાવોટની નિર્માણ ક્ષમતા 2022 સુધીમાં હાંસલ થશે અને બાકીની 6 ગીગાવોટ ક્ષમતા વાર્ષિક 2 ગીગાવોટના વધારા સાથે 2025 સુધીમાં પૂરી કરવામાં આવશે. એમાં 2 ગીગાવોટના સીંગલ સાઈટ જનરેશન પ્રોજેકટનો સમાવેશ થાય છે જે વૈશ્વિક સ્તરે જાહેર કરાયેલ સૌથી મોટા સીંગલ સાઈટ પ્રોજેકટ હશે. 2 ગીગાવોટના સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાલની 1.3 ગીગાવોટની ક્ષમતા સાથે વર્ષ 2020 સુધીમાં સ્થાપિત થશે અને તે જૂથની ભારતની સૌથી મોટી સોલાર ઉત્પાદન એકમ તરીકેનુ સ્થાન મજબૂત કરશે. 

અદાણીએ વડાપ્રધાનના સ્વનિર્ભર ભારત મિશન સાથે પ્રોજેક્ટને જોડ્યો
કંપનીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ પાવર એ વિશ્વના અત્યંત સ્વચ્છ અને અત્યંત કરકસરયુક્ત બળતણ બનવાની સંક્રાંતિમાં તે દેખીતુ પરિણામ છે અને અદાણી જૂથ એ મજલમાં મોખરાની ભૂમિકા બજાવવાનો ઈરાદો ધરાવે છે. આ એવોર્ડ દેશના જલ વાયુ પરિવર્તનના વચન સાકાર કરવામાં તેમજ રાષ્ટ્રના આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્વનુ કદમ બની રહેશે. અદાણી જૂથનુ રાષ્ટ્ર નિર્માણનુ સપનું સાકાર કરવામાં પણ તે વધુ એક કદમ બની રહેશે.

સોઉર્સ: દિવ્યભાસ્કર


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment