10થી 20 લાખની કમાણી પર 10% ટેક્સ ઘટી શકશે

10થી 20 લાખની કમાણી પર 10% ટેક્સ ઘટી શકશે

જો તમારી વાર્ષિક આવક રૂ. 20 લાખ સુધીની છે, તો તમને આવતા વર્ષે ઈન્કમટેક્સમાં મોટી રાહત મળી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નાણા મંત્રી ઈન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી કરી રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારામને અગાઉ પણ ઈન્કમટેક્સમાં આવનારા આ ફેરફારોના સંકેત આપી ચૂક્યા છે.

નવા સ્લેબની સૌથી વધુ રાહત રૂ. 7થી 20 લાખ કમાતા લોકોને મળશે
જો સરકાર નવા ઈન્કમટેક્સ સ્લેબનો અમલ કરશે તો સૌથી વધુ રાહત વર્ષે રૂ. 7થી 20 લાખ કમાતા લોકોને મળશે. હાલ વાર્ષિક રૂ. 5થી 10 લાખની કમાણી કરતા લોકોએ 20% ટેક્સ ભરવાનો થાય છે, જ્યારે રૂ. 10 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 30% ટેક્સ ભરવો પડે છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ ફેરફારના સંકેત, લિમિટ 40 હજાર વધી શકે
સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે એકસામટી રકમ ભરનારા લોકોને પણ છૂટ આપવાનો નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી બજેટમાં એકસામટી છૂટ એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40 હજાર સુધી વધી શકે છે. આ ડિડક્શન હેઠળ તમને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ રિએમ્બર્સમેન્ટ અને અન્ય એલાઉન્સની છૂટ મળે છે.

નવા ઈન્કમટેક્સ સ્લેબ આ મુજબ હોઈ શકે છે

હાલમાં આવો સ્લેબ છે
આવું થઇ શકે છે
વાર્ષિક રૂ. 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સ
રૂ. 5 લાખના બદલે 7 લાખની આવક પર 5% ટેક્સ
રૂ. 5થી 10 લાખની વાર્ષિક આવક પર 20% ટેક્સ
રૂ. 7થી 10 લાખ કે 12 લાખ સુધીની વાર્ષિક આવક પર 10% ટેક્સ
રૂ. 10 લાખથી વધુની આવક પર 30% ટેક્સ
રૂ. 10થી 20 લાખ સુધીની વાર્ષિક આવક પર 20% ટેક્સ
રૂ. 20 લાખથી 10 કરોડની વાર્ષિક આવક પર 30% ટેક્સ
રૂ. 10 કરોડથી વધુ વાર્ષિક આવક પર 35% ટેક્સ


ડિવિડન્ડ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવે: ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ખતમ કરી દેવાયો છે. જો ડીડીટીને યથાવત્ રખાય તો તેને 15% પર રખાય. હાલમાં આ 20.56% છે. તેની તરફેણમાં દલીલ કરાય છે કે, ડીડીટી ખતમ કરવાથી ટેક્સ ચોરી અટકશે અને કંપનીઓનો નફો વધશે.

80સીની મર્યાદા વધી શકે છે: સેક્શન 80સી હેઠળ બચત માટે રૂ. 2.50 લાખ સુધીના ટેક્સ એક્ઝમ્પ્શનની મંજૂરી અપાઈ શકે છે. હાલમાં 80સી હેઠળ રૂ. 1.5 લાખ સુધીની છૂટ છે. સેક્શન 80સી હેઠળ હાલ પીપીએફ અને એનએમસીમાં કરાયેલા રોકાણ પણ સામેલ હોય છે. હવે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રૂ. 50 હજાર સુધી અને પીપીએફમાં રૂ. 2.5 લાખ સુધીના રોકાણ ટેક્સ ફ્રી હોઈ શકે છે.

હોમલોન પર ટેક્સમાં છૂટ વધી શકે છે: સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બજેટમાં હોમલોનના વ્યાજ દર પર ટેક્સ છૂટની મર્યાદા રૂ. 2 લાખથી વધીને 4 લાખ સુધી થઈ શકે છે. હાલ ઈન્કમટેક્સ એક્ટના સેક્શન 24 હેઠળ વ્યાજ પર રૂ. 2 લાખની છૂટ મળે છે.

LTCG પર ટેક્સ: ઈન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG)ને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે. હાલ LTCG પર 10% ટેક્સ લાગે છે. ઈન્ડિયા ઈન્કની માંગ છે કે, ઈક્વિટી પર LTCG ટેક્સને ખતમ કરવામાં આવે. તેમનું કહેવું છે કે, LTCG ખતમ થવાથી ઈન્વેસ્ટમેન્ટ વધશે. મોદી સરકારે 2018-19માં આ ટેક્સ ફરી લાગુ કર્યો હતો. સરકાર એક કે બે વર્ષ માટે LTCG પર લાગતા ટેક્સને માફ કરી દે અથવા ઘટાડો કરે.

સોઉર્સ: https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/a-tax-of-10-will-be-reduce-on-earnings-of-rs-10-lakh-to-20-lakh-126579398.html?ref=ht


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment