સામસામા આરોપો વચ્ચે PM મોદી અને મમતા કરશે મુલાકાત, જાણો શું થશે વાતચીત?

સામસામા આરોપો વચ્ચે PM મોદી અને મમતા કરશે મુલાકાત, જાણો શું થશે વાતચીત?

નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસીને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તૃણમુલ કોંગ્રેસના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની યાત્રા માટે પશ્ચિમ બંગાળ જશે. આજે સાંજે વડાપ્રધાન મોદીની રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે રાજભવનમાં બંધ બારણે મુલાકાત થશે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે જેનો મમતા બેનરજી ભારે વિરોધ કરી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચે ભારે ચકમક ઝરતી રહે છે. બીજી બાજુ વડાપ્રધાનની આ યાત્રાને ધ્યાનમાં રાખી કોલકાતામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનો કરવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારીત સમયાનુંસાર આજે સાંજે 4 વાગ્યે કોલકાતા પહોંચશે. ત્યાર બાદ તેમની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત યોજાશે. કહેવાય છે કે રાજભવનના કાર્યક્રમોમાં તેમની મુલાકાત મમતા બેનરજી સાથે થઈ શકે છે.

જોકે હજી સુધી આ વાતચીતના એજન્ડાનો ખુલાસો થઈ શક્યો નથી. જ્યારે વિદ્યાર્થીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખી રાજભવનની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજભવન અને એરપોર્ટની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે.

પીએમ મોદી અહીં ચાર ધરોહરો રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેટકાફ હાઉસ, અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. તેનું નવીનિકરણ કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરાયું છે. અહીં જૂની દીર્ઘાઓને ક્યૂરેટ કરવા ઉપરાંત નવા પ્રદર્શનોની સાથે પ્રતિષ્ઠિત દીર્ઘાઓનું પણ નવીનિકરણ કરાયું છે.

પીએમ મોદીનો આ પ્રવાસ પણ રાજકીય વિવાદોથી બચી શક્યો નથી. વિવાદ મિલેનિયમ પાર્કના રંગને લઈને થયો જ્યાં પીએમ મોદીનો કાર્યક્રમ થવાનો છે. આ પાર્કનો રંગ બદલીને ભગવો કરી દેવાયો. જેના પર ટીએમસીના કાર્યકરોએ આપત્તિ નોંધાવી છે. ત્યારબાદ તેના પર સફેદ રંગ કરાયો.

ભાજપ કરશે PM મોદીનું ભવ્ય સ્વાગત

ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી કરી છે. ભાજપના કાર્યકરોને નિર્દેશ અપાયા છે કે પીએમ મોદીના કાર્યક્રમોમાં ભારે સંખ્યામાં ઉપસ્થિત રહે. ભાજપના સાંસદ અર્જૂન સિંહે જણાવ્યું હતું કે, જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બિનરાજકીય છે પરંતુ ભાજપના સાંસદો અને નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 12 જાન્યુઆરીના રોજ સવારે વડાપ્રધાનને મળીને રાજ્યની સ્થિતિની જાણકારી આપશે. 


સોઉર્સ: http://sandesh.com/pm-modi-to-visit-kolkata-today-will-meet-cm-mamata-banerjee/

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment