એગ્રી ટ્રેન્ડ:શેરડીના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ અને સારા વરસાદથી દેશમાં ખાંડનું ઉત્પાદન 13 ટકા વધી 310 લાખ ટન થઇ શકે : ઇસ્મા

એગ્રી ટ્રેન્ડ:શેરડીના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ અને સારા વરસાદથી દેશમાં ખાંડનું ઉત્પાદન 13 ટકા વધી 310 લાખ ટન થઇ શકે : ઇસ્મા

દેશમાં ખાંડનું ઉત્પાદન નવી સિઝન 2020-21માં 13 ટકા વધી 310 લાખ ટન થવાનો અંદાજ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) દ્વારા મુકવામાં આવ્યો છે. ઇથેનોલના ઉત્પાદન માટે અંદાજે 20 ટન શેરડીનો રસ અને બી મોલાસિસમાં ડાઇવર્ટ કરાયા બાદ ખાંડના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. ખાંડનું ઉત્પાદન ગતવર્ષે ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં ઘટીને 274.20 લાખ ટન રહ્યું હતું જેમાં ઇથેનોલમાં 8 ટન શેરડીનો ઉપયોગ કરાયો હતો.

2020-21 સીઝન માટે વધુ ઉત્પાદન થવાનું હોવાથી ઇસ્માએ કહ્યું કે ભારતે ચાલુ સિઝનમાં સરેરાશ 60 લાખ ટનની સરપ્લસ નિકાસ ચાલુ રાખવાની જરૂર રહેશે. ઇસ્માના પ્રાથમીક અંદાજ મુજબ શેરડીનો રસ અને બી મોલાસીસનું ઇથેનોલમાં બદલાવને કારણે ખાંડના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લીધા પછી ઇસ્માએ 2020-21માં ખાંડના ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે.

પહેલા એડવાન્સ અંદાજ મુજબ ઉત્તરપ્રદેશમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. જોકે આ વર્ષે વધારે વરસાદના કારણે ઉત્પાદનમાં નજીવો ઘટાડો થઇ 124.5 લાખ ટન રહેશે જે અગાઉના વર્ષે 126.30 લાખ ટનનું રહ્યું હતું. જ્યારે મહારાષ્ટ્ર બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે જ્યાં ઉત્પાદન વધીને 108 લાખ ટન થઇ શકે છે જે અગાઉના વર્ષે 61.60 લાખ ટન રહ્યું હતું.

કર્ણાટકામાં ઉત્પાદન વધી 46.0 લાખ ટન રહેશે જે અગાઉના વર્ષે 34.90 લાખ ટન રહ્યું હતું. શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવાના કારણે ઉત્પાદનમાં 19 ટકા વધારાનો અંદાજ છે. તામીલનાડુમાં ઉત્પાદન ગતવર્ષની તુલનાએ જળવાઇ 7.51 લાખ ટન રહેશે. અન્ય ઉત્પાદક રાજ્યોમાં મળીને કુલ 33.28 લાખ ટનનું ઉત્પાદન થશે. પહેલી ઓક્ટોબરના રોજ શરૂઆતનો સ્ટોક 106.40 લાખ ટન રહ્યો છે. સરકાર નિકાસ ક્વોટા વધારી પ્રોત્સાહન આપે તે જરૂરી છે. વૈશ્વિક બજાર ભાવ પર પણ આધાર રહેલો છે.

ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 11 લાખ ટનથી વધી જશે
ગુજરાતમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવાની સાથે પાકને અનુકુળ સારો વરસાદ થયો હોવાથી રિકવરી વધવાના કારણે ખાંડનું ઉત્પાદન પ્રાથમિક અંદાજ મુજબ 10.81 લાખ ટન થશે જે અગાઉના વર્ષે 9.32 લાખ ટન રહ્યું હતું જોકે, સિઝન અંત સુધીમાં તમામ મીલોમાં ક્રશીંગ કામગીરી પૂરજોશમાં ચાલશે તો ઉત્પાદન વધી 11.5-12 લાખ ટન સુધી પહોંચી શકે છે.

નિકાસ 60 લાખ ટનથી વધારવી પડશે
દેશમાં ખાંડના ઉત્પાદનમાં વધારો થવાની સાથે શરૂઆતનો સ્ટોક 106.40 લાખ ટનનો મસમોટો પડ્યો છે જેના કારણે કુલ પુરવઠો વધીને 415 લાખ ટનથી વધુ રહેશે જો નિકાસ વેપારને વેગ આપવામાં નહિં આવે અને 60 લાખ ટન સુધી નિકાસ નહિં થાય તો સ્થાનિકમાં તેજીને વેગ મળે તેવી શક્યતા નહિંવત્ છે.

Source: 

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment