નિવેદન / સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, PM મોદીએ દરેક સાંસદોને આ કામ કરવાની કરી અપીલ
સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
- સંસદના શિયાળુ સત્ર પહેલા PMનું સંબોધન
- કહ્યું- સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર
- સદનની ગરિમાનું ધ્યાન રાખવાની કરી અપીલ
સરકારની નીતિ વિરૂદ્ધ અવાજો ઉઠ્યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે.
સંસદનું સત્ર ખૂબ મહત્વનું હોવાની PM મોદીએ કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું-સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વનું છે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, હિન્દુસ્તાનની ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક,જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છીએ. આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા, તેમના સપનાઓ પૂર્ણ કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાત આપણા ભારતના ઉજ્જળ ભવિષ્ય માટે શુભ સંકેત છે.
સદનની ગરિમાનું ધ્યાન રાખવાની કરી અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસ નિમિત્તે એક નવા ઠરાવ સાથે સમગ્ર દેશે બંધારણની ભાવનાને પરિપૂર્ણ કરવાની દરેકની જવાબદારી અંગેનો ઠરાવ કર્યો છે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે. સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવો પણ ગૃહ અને સ્પીકરની ગરિમાનું ધ્યાન રાખો.
નવા વેરિયન્ટથી સતર્ક રહેવાની કરી અપીલ
કોરોના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત સત્રમાં કોરોના બાદ 100 કરોડ વેક્સિનેશન કર્યું હવે 150 કરોડ તરફ આગળ વધી રહ્યા છીએ. નવો વેરિયન્ટ પણ ડરાવી રહ્યો છે, જેનાથી સતર્ક રહીએ.
આજથી સંસદના શિયાળુ સત્રની શરુઆત
આજથી સંસદના શિયાળુ સત્રની શરુઆત થશે. સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા લેવા માટે કાયદાને સદનના સ્તર પર રાખશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલી વાર લોકસભામાં કૃષિ કાયદાને પાછો લેવાનો મુસદ્દો 2021 રજુ કરશે.
એમએસપી પર કાયદાની માંગને લઈને વિપક્ષના વિરોધની આશા
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ્દ કરવા માટે ખરડાની સાથે સંસદના શિયાળુ સત્ર સોમવારે એટલે કે 29 નવેમ્બરથી શરુ થવાનો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પહેલીવાર લોકસભામાં કૃષિ કાયદા રદ્દ ખરડો 2021 રજૂ કરશે. ભલે સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો પરંતુ સંસદ પત્ર ખેડૂતોના પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) પર કાયદાની માંગને લઈને વિપક્ષના વિરોધની આશા છે. વિપક્ષી દળ પહેલાથી જ ખેડૂતોની માંગનું સમર્થન કરી ચૂકી છે અને આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસે ખેડૂતો માટે કરી છે આ માંગ
કેન્દ્ર સોમવારે લોકસભામાં કૃષિ કાયદા રદ્દ વિધેયક 2021 રજૂ કરશે. વિધેયકની સર્વસન્મતિથી પારિત થવાની શક્યતા છે અને આનાથી તે દિવસે રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. આ દરમિયાન કોંગ્રેસના એમએસપી પર એક કાયદો અને 3 કૃષિ કાયદાની વિરુદ્ધ વર્ષ ભરથી વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે શોકના પ્રસ્તાવની માંગ કરી છે.
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.