સંસદનું શિયાળુ સત્ર LIVE: વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં પાસ; લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદનું શિયાળુ સત્ર LIVE: વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં પાસ; લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા છે, પરંતુ હજી MSP અને ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. અમે 4 ડિસેમ્બરના રોજ એક બેઠક કરીશું અને તે બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.

સંસદનું શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય પાર્ટીઓને શાંતિ અને મર્યાદા જાળવી રાખવા માટે અપીલ કરી છે. PMએ કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય, પરંતુ શાંતિ પણ જળવાઈ રહે. આપણે ગૃહમાં કેટલા કલાક કામ કર્યું એના આધારે આપણી ઓળખ થવી જોઈએ, નહીં કે ગૃહમાં કોણે, કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી.

આ તરફ કૃષિ કાયદાને પરત લેવાની માગ બાબતે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણાં કર્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી. આજે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સંસદમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરશે, જેને લઈને સાંસદોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષાને લઈને વિવાદ ઊભો થયો છે.

કાર્યવાહી મુદ્દે મોદીના 4 સંદેશ

1. મોદીએ કહ્યું- “આપણે જોયું છે કે ગયા દિવસોમાં બંધારણ દિવસ પણ નવા સંકલ્પ સાથે, બંધારણની ભાવનાને સાકાર કરવાની દરેકની જવાબદારીને આદર સાથે આખા દેશે સંકલ્પ કર્યો છે. આ બધાને જોતાં આપણે ઈચ્છીએ છીએ, દેશને પણ ગમશે, દરેક નાગરિક ઈચ્છશે કે સંસદનું આ સત્ર અને આવનારું સત્ર સ્વાતંત્ર્ય પ્રેમીઓની ભાવના અને અમૃત મહોત્સવની ભાવનાને અનુરૂપ સંસદ પણ દેશના હિતમાં ચર્ચા કરે."

2. વડાપ્રધાને કહ્યું હતું, આશા રાખું છું કે ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવવી. કેટલું સારું યોગદાન આપ્યું એ બાબતે ભાર આપવામાં આવે. કોણે કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી એ માપદંડ ન હોવો જોઈએ. એ જોવું જોઈએ કે સંસદમાં કેટલા કલાક કામ થયું. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા અને દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય અને શાંતિ પણ જાળવી રાખવામાં આવે.

3. સરકાર વિરુદ્ધ નીતિઓ સામે જેટલો અવાજ ઉઠાવવો જોઈએ એ હોય, પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, ખુરશીની ગરિમા બાબતે આપણે તેવાં કાર્યો કરીએ, જે આગામી દિવસોમાં દેશની યુવા પેઢીને કામમાં આવે.

4. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિયન્ટના સમાચાર પણ આપણને સતર્ક અને સાવધાન કરે છે. હું સંસદના તમામ સાથીઓને સતર્ક રહેવાની પ્રાર્થના કરું છું. આ સત્રમાં દેશના હિતમાં ઝડપથી અને સાથે મળીને નિર્ણયો લેવા જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું
સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે આજે સંસદમાં અન્નદાતાના નામનો સૂરજ ઉગાડવાનો છે.

સૌથી પહેલા સંસદ સત્રમાં રજૂ કરવામાં આવનારાં કેટલાંક આવશ્યક બિલ વિશે જાણકારી મેળવીએ

બંધારણીય (ST and ST) ઓર્ડર (સુધારા) બિલ 2021: આ બિલને બે રાજ્ય- ઉત્તરપ્રદેશ અને ત્રિપુરામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની યાદીમાં ફેરફાર માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બિલ મારફત સરકાર ઉત્તરપ્રદેશ ઉપરાંત ત્રિપુરા સંબંધિત SC/STની યાદીમાં ફેરફાર કરશે.

ફાર્મ લો રિપીલ બિલ, 2021: PM નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદા પાછા લેવા માટે જાહેરાત કરી હતી. હવે સંસદના શિયાળુ સત્ર સમયે ત્રણેય કૃષિ કાયદાને નાબૂદ કરવા માટે બિલ રજૂ કરવામાં આવશે અને બન્ને ગૃહમાંથી પસાર થતાંની સાથે કૃષિ કાયદો રદ થઈ જશે.

ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ડિજિટલ કરન્સી બિલ, 2021: આ બિલ મારફત સરકાર ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ઈસ્યુ કરવામાં આવતી સત્તાવાર ડિજિટલ કરન્સીના નિર્માણ માટે એક સુવિધાજનક માળખું તૈયાર કરવા ઈચ્છે છે. આ સાથે જ એવું માનવામાં આવે છે કે આ બિલ મારફત ભારતમાં તમામ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગી જશે.

બેન્કિંગ કાયદો (સુધારા) બિલ, 2021: આ બિલ મારફત બજેટ 2021માં જાહેર કરવામાં આવેલાં બે જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ માટે બિલ રજૂ કરવામાં આવશે. આ બન્ને બેન્કોના ખાનગીકરણથી સરકારને વર્તમાન નાણાકીય વર્ષમાં રૂપિયા 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકના ભાગરૂપે છે. અલબત્ત, આ બિલમાં ખાનગી સ્વરૂપ અંગે બેન્કોનાં નામ અંગે કોઈ જ ખુલાસો કરવામાં આવશે નહીં.

સરકાર આ સત્રમાં વધુ 25 બિલ રજૂ કરશે
કૃષિ કાયદા પરત લેવાનું બિલ ઉપરાંત, કેન્દ્ર સરકારે 23 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સંસદીય સત્ર દરમિયાન 25 અન્ય બિલ રજૂ કરવાની તૈયારી કરી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ બિલ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા સંબંધિત છે. જો કે, સરકાર પોતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ડિજિટલ કરન્સી દાખલ કરવાની મંજૂરી આપી રહી છે.

આ ઉપરાંત, પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર સંસદની સંયુક્ત સમિતિનો અહેવાલ પણ શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે.


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment